Uncategorized

વાતચીત: શ્રીદેવી-બોની કપૂરે દીકરીનું નામ ‘જુદાઈ’માં ઉર્મિલાના કેરેક્ટર પરથી પાડ્યું? જાહન્વીએ સાચી વાત જણાવી

[ad_1]

મુંબઈએક કલાક પહેલા

  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ જાહન્વી કપૂરને હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં તેના નામ અંગે સવાલ કરવામાં આવ્યો હતો. જાહન્વીને પૂછવામાં આવ્યું હતું કે તેનું નામ ‘જુદાઈ’માં ઉર્મિલા માતોંડકરે પ્લે કરેલા કેરેક્ટર પરથી પાડવામાં આવ્યું છે. જેના જવાબમાં જાહન્વીએ કહ્યું હતું કે તેનું નામ કેરેક્ટર પહેલાં જ નક્કી કરવામાં આવ્યું હતું.

જાહન્વીએ નામનો અર્થ કહ્યો
જાહન્વીએ કહ્યું હતું, ‘મારું નામ ‘જુદાઈ’માં ઉર્મિલાના કેરેક્ટર બાદ પાડવામાં આવ્યું નથી. મને લાગે છે કે મારા પેરેન્ટ્સને આ નામ બહુ પહેલેથી ઘણું જ પસંદ હતું. માતાને તો આ નામ ઘણું જ પસંદ હતું, કારણ કે આ નામનો અર્થ પ્યોરિટી થાય છે. તે મને જોતી રહેતી અને કહેતી કે હું પ્યોર આત્મા છું.’

બહેનમાં માતા દેખાય છે
જાહન્વીને જ્યારે પૂછવામાં આવ્યું કે લોકો તેની તુલના શ્રીદેવી સાથે કરે છે, તો તેનું રિએક્શન શું હોય છે? જેના જવાબમાં જાહન્વીએ કહ્યું હતું, ‘જ્યારે લોકો એમ કહે છે કે હું મારી માતાની યાદ અપાવું છું તો મને ઘણું જ ગમે છે. આમ પણ આ લૉજિકલ છે, કારણ કે અમારા જીન તો એક જ છે. જોકે, આનું ઘણું જ મહત્ત્વ છે. જ્યારે હું મારી નાની બહેનમાં માતાને જોઉં છું, તો મને ઘણો જ આનંદ થાય છે.’

‘ગુડ લક જેરી’માં જોવા મળશે
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જાહન્વી ‘બવાલ’માં વરુણ ધવન સાથે જોવા મળશે. આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે. જાહન્વીએ હાલમાં જ ‘મિલી’નું શૂટિંગ પૂરું કર્યું. આ ફિલ્મમાં સની કૌશલ છે. આ ઉપરાંત તે આનંદ એલ રાયની ફિલ્મ ‘ગુડ લક જેરી’માં જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link