[ad_1]
4 કલાક પહેલા
ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં રહાણે અને પુજારાનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ચોથા દિવસની ગેમમાં ઈન્ડિયાની બીજી ઈનિંગમાં પણ ઈન્ડિયન કેપ્ટન રહાણે અને વાઈસ કેપ્ટન પુજારા ફ્લોપ રહેતા ફેન્સ તેમના પર ગુસ્સે થઈ ગયા હતા. સોશિયલ મીડિયામાં યૂઝર્સે આ બંને ખેલાડીને ઘરભેગા કરી દેવા ટકોર કરી હતી. એટલું જ નહીં તેમને નિવૃત્તી લઈ લેવાની વાત પણ કરી હતી. તો ચલો આપણે યૂઝર્સની ઊગ્ર પ્રતિક્રિયા પર નજર ફેરવીએ….
અજિંક્ય રહાણે અને પુજારા ફેલ
- બીજી ઈનિંગમાં પણ ઈન્ડિયન ટીમના કેપ્ટન અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારા ખરાબ ઈનિંગ રમી પેવેલિયન ભેગા થયા હતા.
- ચેતેશ્વર પુજારા કાઈલ જેમિસનની ઓવરમાં 22 રન કરી કોટ બિહાઈન્ડ આઉટ થયો હતો.
- વાઈસ કેપ્ટન પુજારાના આઉટ થયા પછી કેપ્ટન અજિંક્ય રહાણે પણ કઈ ખાસ કરી શક્યો નહોતો અને 4 રનના સ્કોર પર તે આઉટ થયો હતો. એજાઝ પટેલે તેને LBW આઉટ કર્યો હતો.
- ઈન્ડિયન ટીમે 51ના સ્કોર પર 5 વિકેટ ગુમાવી દીધી હતી
અન્ય સમાચારો પણ છે…
[ad_2]
Source link