Uncategorized

વેબિનાર: ‘દરિયાપારના ગુજરાતીઓનો વતનપ્રેમ માત્ર હૃદયમાં નથી, અમલમાં પણ છે.’

[ad_1]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

3 દિવસ પહેલાલેખક: રમેશ તન્ના

  • કૉપી લિંક

તસવીર: ડાબેથી રમેશ તન્ના અને હેમંત શાહ.

“વિશ્વમાં દરિયાપાર વસતા આશરે ત્રણ કરોડ બિનરહીશ ભારતીયો (NRI)માંથી એક કરોડ જેટલા તો ગુજરાતીઓ છે. એનઆરઆઈઓ લગભગ ત્રીજો હિસ્સો ગુજરાતીઓનો છે. તેઓ માત્ર સંખ્યાની રીતે જ વધુ છે તેવું નથી, ગુજરાતી ડાયસ્પોરિક સમાજ વ્યાપક હોવાની સાથે સાથે પ્રભાવક પણ છે, એટલું જ નહીં તેમના હૃદયમાં માદરેવતન ગુજરાત કાયમ ધબકે છે અને તેઓ વિવિધ રીતે પોતાનો વતનપ્રેમ વ્યક્ત પણ કરે છે. દરિયાપાર વસતા લાખો-કરોડો એનઆરઆઈ કે પછી ગુજરાત બહાર ભારતમાં વસતા આશરે એક કરોડ જેટલા એનઆરજી… તેમનો વતનપ્રેમ માત્ર હૃદયમાં નથી, અમલમાં પણ છે…” આ શબ્દો જાણીતા લેખક-પત્રકાર-વક્તા-કર્મશીલ અને બે દાયકાથી ડાયોસ્પોરા સાથે સક્રિય રીતે જોડાયેલા રમેશ તન્નાએ કહ્યા હતા.

પ્રવાસી ભારતીય દિવસ, નવમી જાન્યુઆરી, 2021, શનિવારે રાત્રે નવ કલાકે યોજાયેલા વર્ચ્યુઅલ સેમિનારમાં “દરિયાપારના ગુજરાતીઓનો વતનપ્રેમ” એ વિષય પર બોલતાં કહ્યા હતા. તેમણે અનેક ઉદાહરણો આપીને જણાવ્યું હતું કે વિદેશમાં વસતા ગુજરાતીઓ અહીંની બેન્કો, શેરબજાર, જમીન, રીઅલ એસ્ટેટ અને વિવિધ ઉદ્યોગોમાં તો કરોડો રૃપિયા રોકે જ છે, પણ સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિઓ માટે પણ ઉદાર હાથે કરોડો રૂપિયાની સખાવતો આપે છે. તેમણે જીકર કરી હતી કે દરિયા પાર વસતા ગુજરાતીઓની સજ્જતા (સ્કીલ) અને સંવેદનાનો ગુજરાતનાં ગામોના ઉત્કર્ષ માટે વિનિયોગ કરવાની જરૂરિયાત છે.

તસવીર: ડાબેથી સુનિલ નાયક અને રમેશ પટેલ.

તસવીર: ડાબેથી સુનિલ નાયક અને રમેશ પટેલ.

આ પ્રસંગે મનનીય અને વિચાર પ્રેરક આવકાર પ્રવચન કરતાં આયના સંસ્થાના પ્રમુખ સુનિલ નાયકે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં ગૌરવ થાય એ રીતે ગુજરાતી ડાયસ્પોરા સક્રિય છે, આમ છતાં હજી ઘણા પ્રશ્નો છે. ઘણું કામ કરવાનું બાકી છે.

ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાના પ્રમુખ રામ ગઢવીએ અમેરિકામાં જુદા જુદા સ્તરે કાર્ય કરતી ભારતીય-ગુજરાતી સંસ્થાઓની જિકર કરીને જણાવ્યું હતું કે દરિયાપારના ગુજરાતીઓ ભાષા-સાહિત્ય-કલા-સમાજસેવા ઈત્યાદિમાં સતત સક્રિય રહે છે.

કાર્યક્રમની ભૂમિકા બાંધતાં ધરોહર ફાઉન્ડેશન (ધર્મજ ડે)ના રાજેશ પટેલે ધર્મજ અને ચરોતરના વતનપ્રેમી એનઆરજી સમુદાયની પ્રેરક વાતો ઉદાહરણ આપી ધર્મજ ડેની ઉજવણીની યથાર્થતા માટે આનંદ વ્યક્ત કર્યો હતો. આભાર પ્રવચન કરતાં એનઆરઆઈ પેરેન્ટ્સ એસોસિએશન, અમદાવાદના પ્રમુખ હેમંતભાઈ શાહે જણાવ્યું હતું કે આ પ્રકારના ઉપક્રમો એનઆરઆઈ સમુદાય માટે કામ કરતી સંસ્થાઓને વંગવંતી હોવાથી નિયમિત રીતે તેનું આયોજન થવું જોઈએ.

કાયક્રમના પ્રારંભમાં જય જય ગરવી ગુજરાતનું ગાન થયું હતું જ્યારે એક પંજાબી ભાષાના ગાનથી કાર્યક્રમનું સમાપન થયું હતું. કાર્યક્રમ આશરે પોણા બે કલાક ચાલ્યો હતો અને વિશ્વના ઘણા દેશોમાંથી લોકો જોડાયા હતા.

સમગ્ર વેબિનારનું ટેકનિકલ સંચાલન નિપેશભાઈ પંડ્યા અને આલાપ તન્નાએ સંભાળ્યું હતું.

[ad_2]

Source link